નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી દ્વારા લોકડાઉનને ફેલ ગણાવનારા નિવેદન પર પલટવાર કર્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે જ્યારથી કોરોનાની દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ પેદા થઈ છે, ત્યારથી રાહુલ ગાંધી દેશના સંકલ્પને આ લડાઈ મુદ્દે નબળી કરવાની કોશિશ કરી રહ્યાં છે. તેઓ હળાહળ જૂઠ્ઠુ બોલી રહ્યાં છે. ખોટા નિવેદનો આપીને તથ્યોને તોડી મરોડીને રજુ કરવાની કોશિશ કરી રહ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube